0 votes
100 views
in Chapter 3 એક સરખા દિવસ સુખના by (2.2k points)
edited
“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી” – કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે?

1 Answer

0 votes
by (2.2k points)
selected by
 
Best answer
‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ચિંતન રજૂ કર્યું છે. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી માટે જ શાણા લોકોએ કદી ધનવૈભવથી ફૂલાવું ન જોઈએ. નસીબ સાથ આપે કે ન આપે તેની પરવા ન રાખવી જોઈએ.

કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન તેનો અવશ્ય સંહાર થાય છે. જે ચડે તે પડે એ કુદરતનો ક્રમ છે એને કોઈ બદલી શકતું નથી. એ જ સનાતન સત્ય છે. સમય જેવું કોઈ બળવાન નથી અર્જુન જેવા મહાન બાણાવળીને ધનુષબાણ હોવા છતાં કાબાએ લૂંટી લીધો હતો.

કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે તો રાજા પણ પળવારમાં રંક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.

મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો. દાક્યા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.

અહીં કવિએ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આપ્યો છે.

Related questions

Doubtly is an online community for engineering students, offering:

  • Free viva questions PDFs
  • Previous year question papers (PYQs)
  • Academic doubt solutions
  • Expert-guided solutions

Get the pro version for free by logging in!

5.7k questions

5.1k answers

108 comments

535 users

...